તાડપત્રનો રવિવાર અને ગધેડો
*પ્રભુને તેની જરૂર છે* ગધેડાના અજાણ્યા માલીકે જો તેને આપવાનો ઇનકાર કર્યો હોત, તો આજે આપણે કેટલી અલગ વાર્તા કહી રહ્યા હોત? કદાચ “વિજય પ્રવેશ”ની એ અદભુત ઘટના આપણા સુધી આવી જ ન હોત. ઓછામાં ઓછું તો ઈસુએ જેમ ઇચ્છ્યું હતું તે સ્વરૂપમાં તો નહીં જ. આમાંથી આપણને એક ઊંડો સંદેશ મળે છે: કોઈ વ્યક્તિ કેટલો અજાણ્યો કે સામાન્ય કેમ ન હોય, તે ભગવાનની યોજનામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગધેડાના તે અજાણ્યા માલિકની જેમ, પ્રભુને આપણા સહકાર, આપણા સમર્પણ અને આપણા વિશ્વાસની જરૂર છે. વાંચનમાં ગધેડાના માલિકનું નામ નથી આપવામાં આવ્યું, પરંતુ તેણે “પ્રભુ” એટલે ઈસુને તેની જરૂર છે તે ઓળખીને સ્વેચ્છાએ ગધેડો અર્પણ કર્યો. આ કાર્ય સૂચવે છે કે તેઓ કદાચ તેમના ગુપ્ત અનુયાયીઓ કે હૃદયથી જોડાયેલા પ્રશંસકો હશે. નહિતર તેઓ પૂછતા, “આ પ્રભુ કોણ છે જેને મારા ગધેડાની જરૂર છે?” તે સમયમાં ગધેડો માત્ર એક પશુ નહોતો, પરંતુ જીવનનો અગત્યનો આધાર હતો. તે કાર, ટ્રક અને ટ્રેક્ટર all in one સમાન ગણાતો. લોકો તેને મુસાફરી માટે વાપરતા, ભાર વહન માટે અને ખેતીના કામ માટે પણ તેનો ઉપયોગ થતો. અને ખાસ વાત એ કે આ ગધેડો ક્યારેય સવારી કરવાના ...