Posts

Showing posts from May, 2021

અલગતામાં એકતા- પવિત્ર ત્રૈક્ય...♻️

Image
આ એક જૂની આફ્રિકન દંતકથા છે. આ દંતક્થા આપણને સમજાવે છે કે માનવ સમુદાયના દરેક સભ્ય સમાજ માટે કેટલા મહત્વપૂર્ણ છે. કથા મુજબ એક સમયે, શરીરના વિવિધ ભાગો પેટ સામે ફરિયાદ કરવા લાગ્યા. હાથ કહે, "તમે મને જોઇ શકો છો કે હું માટીમાં બીજ રોપવાથી લઇ પાક તૈયાર થાય ત્યા સુધી મજુરી કરુ છું. વળી હું જ ખોરાક તૈયાર કરું છું. પેટ જે કંઇક કરે છે તે માત્ર અને માત્ર રાહ. મારા ખોરાક ખવડાવવાની રાહમાં તે પડી રહે છે. આ તો ભારે અન્યાય છે. હાથની વાત સાથે પગ પણ સંમત થયા. પગે કહ્યુ, "હું પણ આખો દિવસ આ ભારે પેટને લઈને આમતેમ જઉં છું.  હું જ તેને ખાવા માટે ખેતરમાંથી ઘરે લઈ જઉં છું. તો વળી  હું જ તેને પાણી લેવા નદીએ લઈ જઉં છું.  હું જ તેને કેરીની વાડીએ કેરી  લેવા તેમજ કેરીના ઝાડ ઉપર ચડવા મદદ કરુ છું. આ બધામા પેટ ફક્ત સૂઈ જ રહે છે. આપણે તેની દરેક જરૂરીયાત જેમ કે ખોરાક, પાણી અને ચા -શરબત કોઇ જ બદલા વગર પુરી પાડવાની! આ તો અન્યાયી વ્યવસ્થા છે. " માથાએ પણ ફરિયાદ કરતા જણાવ્યુ કે તે ખેતરમાંથી અને નદીમાંથી બધાં જ પ્રકારના ભારણ વહન કરે છે. પેટને ખવડાવવા માટે તે જે મદદ કરે છે તેવી મદદ બીજુ કોઇ કરતું નથી. બધાની ...

સંત ઈગ્નાસ વર્ષની ઉજવણી...

Image
  *સંત ઈગ્નાસ વર્ષ* *૨૦મી મે ૨૦૨૧ થી ૩૧મી જુલાઈ ૨૦૨૨* ઈસુસંઘ (Society of Jesus) આ વર્ષે ઈગ્નાસ વર્ષની ઉજવણી કરે છે. *ઈગ્નાસ વર્ષની શુભ શરૂઆત ૨૦મી મે ૨૦૨૧ એટલે કે આજના શુભદિનથી થાય છે અને તેની ભવ્ય પૂર્ણાહુતિ ૩૧મી જુલાઈ ૨૦૨૨ના રોજ થશે.* હવે, તમારા મનમાં પ્રશ્ન ઉદ્દભવતો હશે કે, શા માટે ૨૦મી મે ના શુભદિને ઈગ્નાસ વર્ષની શરૂઆત કરવામાં આવે છે?  ૨૦મી મે ૧૫૨૧ એટલે કે બરાબર ૫૦૦ વર્ષ પહેલા નવાર પ્રાંતના મુખ્ય શહેર પામ્પલોના પર ફ્રેન્ચ સૈન્ય આક્રમણ કરે છે. આ યુદ્ધ સ્પેનિશ સૈન્યને જીતવું હતું અને કોઈપણ ભોગે પામ્પલોના બચાવવું હતું. એટલે નવાર પ્રાંતના રાજવીનો શૂરવીર ઈગ્નાસ આગળ આવે છે.  આ યુદ્ધભૂમિમાં આગેવાની કરી રહેલા ઈગ્નાસના બંને પગને ગંભીરપણે ઘાયલ કરતો ફ્રેન્ચ સૈન્યનો તોપનો ગોળો વાગે છે. આ તોપનો ગોળો પરાક્રમી ઈગ્નાસના પગના ચૂરેચૂરા કરી નાખે છે. આ ઘટના ઈગ્નાસનો જીવનપલટો કરી નાખે છે. લોયોલાના કિલ્લામાં પથારીવશ ઈગ્નાસ ઈસુને અનુસરવાનો નિર્ણય લે છે.  ઈગ્નાસના જીવનમાં આ પરિવર્તનથી અને ઇતિહાસસર્જક નિર્ણયથી ઈસુસંઘ અસ્તિત્વમાં આવ્યો. એટલે *ઇસુસંઘની સ્થાપનાનું બીજ ૨૦મી મે ૧૫૨૧માં તોપના ગ...

મે મહિનાની ભક્તિ...🙏

Image
વ્હાલાં સ્વજનો અને શ્રદ્ધાળુઓ, *આવ્યો મે મહિનો...દિલ આપણું રાચે, પ્યારી માતાને વધાવવા રે, ભક્તિ થકી વધાવીએ...* *માતા મારીયાના બાળકો...* માતા મરીયમની મે મહિનાની ભકિત કરવાનો સમય આવી ગયો છે. આવો આપણે સાથે મળી માતા મરીયમના મહિનાની  શરૂઆત કરીએ. આપણ સૌને આ દિવસોમાં માતા મરિયમ દ્વારા પ્રભુની ખાસ કૃપાઓ મળશે.  *આ મહિનામાં વિશેષ કરીને જેઓ ગંભીર બીમારીઓનો અને વ્યસનોના ભોગ બનેલા છે તે સૌને ઈશ્વર માતા મરિયમની ખાસ કૃપા દ્વારા સાજાપણું બક્ષે અને આપણને આ જીવનની વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા આંતરિક શક્તિ આપે તે માટે ખાસ પ્રાર્થના કરીએ.* માતા મરિયમની ભકિત બાબતે વડાધર્મગુરૂ ૬ઠ્ઠા પાઉલના શબ્દો હંમેશાં યાદ રાખીએ. *"પવિત્ર મરિયમની ભકિત ત્યારે જ હિતકર ગણાય જ્યારે તે ઈસુની ભકિતને પોષક બને. ઈસુ પ્રત્યેની ભક્તિ વધે એજ આ મરિયમભકિતનું અંતિમ લક્ષ્ય ને ફળશ્રૃતિ હોવા જોઈએ."* ગુજરાતમાં પ્રચલિત *મે મહિનાની ભકિત*  માતા મરિયમની વિશેષ ભક્તિ છે. દરરોજની ભકિત અને પ્રાર્થના છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ સમયસર ને નિયમિત ૧લી મેથી દરરોજ સવારે ૬:૦૦ વાગે આપના વોટ્સ એપ પર  મોકલવામાં આવશે....