ઈસુના પૂજ્ય હ્રદય 💝 નું પર્વ...
વ્હાલા સ્વજનો, આપણે છેલ્લા નવ દિવસથી *ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ* કરી છે. આજે એના ક્લાઈમેક્ષ સ્વરૂપે આપણે ઈસુના પૂજ્ય હ્રદય 💝 નું પર્વ ઉજવીશું. માનો કે ના માનો ઈસુ ખ્રિસ્તે આપણને ઘણી બધી આશિષો આપી છે. આવો પ્રસ્તુત લેખના વિચારોના માધ્યમથી ઈસુના પૂજ્ય હ્રદયને સમજીએ અને ઈસુના પૂજ્ય હ્રદયનો તહેવાર ખરી શ્રદ્ધાથી ઉજવીએ. *ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર - મૂળ સ્તોત્રની પુન: શોધ* ત્યાર પછી ઈસુ નાઈન નામના ગામે ગયા. તેમના શિષ્યો અને પુષ્કળ માણસો પણ તેમની સાથે હતાં. તેઓ ગામના દરવાજા નજીક પહોંચ્યા. ત્યાં કોઇ વિધવાનો એકનો એક દીકરો મરી ગયો હતો. તેને લઈને આવતા લોકો તેમને સામે મળ્યા. ગામના પુષ્કળ લોકો તે બાઈની સાથે હતા. 👉 *તે જોઈને ઈસુના દિલમાં 💝 દયા આવી.* (લુક : ૭) એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા. પણ ઘણા લોકોએ તેઓને જતા જોયાં અને ઓળખી કાઢ્યા. પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા ઉતાવળા જમીનમાર્ગે તેમના કરતાં પહેલા આવી પહોંચ્યા. કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ. 👉 *લોકોને ભરવાડ વગરના ઘેટાં જેવા જોઈને તેમનું હૈયું 💝 દયાથી ભરાઈ આવ્યું.*(...